First National Psychology Fair of Gujarat-2020

ભારતમાં સૌથી પહેલો મનોવિજ્ઞાન મેળો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાયો

 

તારીખ ૨૭-૨૮ ફેબ્રુઆરી ૨૦૨૦નાં રોજ મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગુજરાતના પ્રથમ રાષ્ટ્રીય કક્ષાના મનોવિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં કઈ કઈ પ્રવૃત્તિઓ થઇ તેની વિગતે ચર્ચા નીચે મુજબ છે.

તારીખ ૨૭/૦૨/૨૦૨૦નાં રોજ સવારે 10:૩૦ કલાકે મેળાનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો. ગુજરાતના હાસ્ય સમ્રાટ પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિશ્રી ડૉ.નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિશ્રી વિજયભાઈ દેશાણી, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ભાવનગરનાં કુલપતિશ્રી ડૉ. ચેતન ત્રિવેદી, સિન્ડિકેટ સભ્યશ્રી ડૉ. ગીરીશ ભીમાણી સાહેબ, રજીસ્ટ્રારશ્રી રમેશભાઈ પરમાર, મનોવિજ્ઞાન ભવનનાં પૂર્વ અધ્યક્ષ ડૉ. દિલીપભાઈ ભટ્ટ સાહેબ, ડૉ. દિનેશ પંચાલ સાહેબ તેમજ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ એ. જોગસણ અને અન્ય મહેમાનોનુ સ્વાગત વિદ્યાર્થીઓ દ્વારા ડાંડીયા રાસ રમીને કરવામા આવ્યું હતું. ત્યારબાદ તેમને કંકુ તિલક કરવામા આવ્યું, ગુજરાતનો પ્રથમ મનોવિજ્ઞાન મેળાનું ટેગ વાળું ખેસ પેરાવામાં આવ્યું, અને સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરવા માટે કહેવામા આવ્યું અને દીપપ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ બધાજ મહેમાનોનું સૌ પ્રથમ પુષ્પો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

આ મેળાનું ઉદ્દઘાટન હાસ્ય સમ્રાટ પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભવનના અધ્યક્ષે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા બાંધી હતી જે તેમને જણાવ્યું હતું કે મનોવિજ્ઞાન ભવને ગયા વર્ષે ૨૨/૦૨/૨૦૧૯ના રોજ રાજ્યના પ્રથમ મનોવિજ્ઞાન મેળાનું આયોજન કરેલ. આ મેળાને કરંટ અફેર્સમાં સ્થાન મળેલ અને રાજકોટના અને અન્ય આજુબાજુના જીલ્લાનાં ૩૦૦૦ થી ૪૦૦૦ વિદ્યાર્થીઓ, અધ્યાપકો, અને મનોવિજ્ઞાનમાં રસ ધરાવતા લોકોએ મુલાકાત લીધી હતી. આ મેળાની સફળતાને કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગતનાં લોકોને મનોવિજ્ઞાન મેળાનો વિચાર અદ્દભુત અને આવકાર્ય લાગેલો. વિદ્યાર્થીઓ અને લોક લાગણીને વશ થઈને મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ વખતે રાષ્ટ્રીય કક્ષાના બે દિવસના મનોવિજ્ઞાન મેળાનું આયોજન કરેલ હતું. કુલપતિશ્રી અને ઉપકુલપતિશ્રીને સંબોધતા તેમને કહ્યું કે આ મેળાનું આયોજન કરવામાં જો કોઈ પાયામાં હોય તે આ બંને સાહેબો છે. મંજુરી માંગતા જ હા પાડી દીધી અને કહ્યું કે તમે દરેક કાર્યક્રમ ઉત્સાહભેર કરો છો તો આ મેળાને પણ વિશાળ ફલક પર કરો અમે તમને મંજુરી આપીએ છીએ. હાસ્ય સમ્રાટ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ વિષે તેમને કહ્યું કે હાસ્ય જગતના બેતાજ બાદશાહ અને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ આજે બીજી વખત મારા આમંત્રણને માન આપીને ભવનમા આવ્યા તે મારા અહોભાગ્ય છે.

સિન્ડિકેટ સભ્ય તરીકે પધારેલ ડૉ. ગીરીશ ભીમાણી સાહેબે જણાવ્યું હતું કે વિજ્ઞાન અને મનોવિજ્ઞાન વિકાસના બે મહત્વપૂર્ણ પાસા છે. વિજ્ઞાન કઈક ને કઈક સમાજ ઉપયોગી કે વ્યક્તિ ઉપયોગી બાબતોની શોધખોળ હંમેશા કરતુ રહે છે. આ શોધની વ્યાવહારિક ઉપયોગીતાના કારણે વ્યક્તિમાં અને સમાજમાં કેવા પરિણામો આવે છે તેની શોધ મનોવિજ્ઞાન કરે છે. ત્યારબાદ ડૉ. દિનેશ પંચાલ સાહેબે જણાવ્યું હતું કે મનોવિજ્ઞાન મેળાથી મનોવિજ્ઞાનની ઉપયોગીતા જન જન સુધી પહોચે છે. આથી આવા પ્રયત્નો અવિરત શરૂ રહેવા જોઈએ.

ત્યારબાદ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી (જુનાગઢ)નાં કુલપતિશ્રી ડૉ. ચેતન ત્રિવેદી સાહેબે જણાવ્યું હતું કે આજના બદલાતા સમય અને સંજોગોમાં વ્યક્તિનું જીવન સ્ટ્રેસફૂલ બનતું જાય છે ત્યારે આવા મનોવિજ્ઞાન મેળાની ઉપયોગીતા વધતી જાય છે. અંગ્રેજી સાહિત્યમાં સાયકોએનાલિસીસનું વિશેષ મહત્વ રહેલું છે. ડૉ. સિગ્મંડ ફ્રોઈડે દર્શાવેલ ઇડ,ઈગો અને સુપર ઈગો સાહિત્ય સર્જન ક્ષેત્રને પ્રેરનાર અમૂલ્ય તત્વો છે.  

ત્યારબાદ ઉપકુલપતિશ્રી ડૉ. વિજયભાઈ દેશાણીએ જણાવ્યું કે મનોવિજ્ઞાન ભવન દર વખતે કઈક ને કઈંક નવું કાર્ય કરતુ રહે છે. અને તેમના દરેક કાર્યક્રમો માણવા જેવા હોય છે. તેવોજ આ મનોવિજ્ઞાન મેળો છે જેનું આયોજન ખુબ સરસ કર્યું છે. તેમણે મેળા માટે ખુબ શુભેચ્છાઓ આપી હતી. અને જણાવ્યું હતું કે ભગવાનશ્રી કૃષ્ણએ ગીતા ઉપદેશ દ્વારા અર્જુનનું કાઉન્સેલિંગ કરી ધર્મયુદ્ધ માટે લડવા તૈયાર કર્યો હતો. તે જ રીતે આજના આધુનિક યુગમાં માનવ મનને સ્વસ્થ રાખવા માટે મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગની જરૂરીયાત છે.

કુલપતિશ્રી ડૉ. નીતિનભાઈ પેથાણીએ જણાવ્યું હતું કે મનોવિજ્ઞાન ભવન એક એવું ભવન છે જે સતત કાર્યરત રહે છે. આ ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણ સાહેબ હંમેશા વિદ્યાર્થીઓમાં પ્રેરણાનું બીજ રોપતા રહે છે અને વિદ્યાર્થીઓ તેમજ તેમના સ્ટાફને સતત કાર્યરત રાખે છે. વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે અગાઉ કરેલ પ્રગતિમાં જો ઉમેરો કરી શકાય તો તે પ્રગતિ નથી. સ્વભાન થવાથી સ્વમાન મળે છે. ધર્મ અને મનોવિજ્ઞાનનો સમન્વય જરૂરી છે. જન્મથી સમસ્યાઓનો સામનો કરી રહેલ દ્વારકાધીશે જીવનના અંત સુધી સતત સમસ્યાઓ અનુભવી છે. ધર્મગ્રંથોમાંથી મળતા સંદેશાને વ્યક્તિના રોજબરોજ વાસ્તવિક રીતે ઉપયોગ કરવો જોઈએ. રોજીંદા જીવનમાં વાસ્તવિકતાને સમજવા માટે મનોવિજ્ઞાનનો અભ્યાસ ખુબ જરૂરી છે. વિજ્ઞાન અને મનોવિજ્ઞાન બંને એ સાથે મળીને કાર્ય કરે તો સમાજ એ ખુબ પ્રગતિશીલ થઇ શકે. બંને વચ્ચે સમતુલા જોખમાય નહિ તેવા પણ પ્રયત્નો કરવા જરૂરી છે.  

ત્યારબાદ મેળાના ઉદ્દઘાટક પદ્મશ્રી શાહબુદ્દીનભાઇ રાઠોડે પોતાની હાસ્ય શૈલીનાં અંદાજ અને ફીલોસોફીનાં સહજ જ્ઞાન દ્વારા જણાવ્યું હતું કે હું મનોવિજ્ઞાન વિશે શુ બોલીશ એ વિચાર મને પેલા આવેલો. તેમણે એ પણ જણાવ્યું હતું કે બાળકોને સમજાવવાનો નહિ પણ સમજવાનો પ્રયાસ કરવો જરૂરી છે જે તેમને સમજી શકાય તો તેમને સમજાવી પણ શકાય. તેમને જણાવ્યું હતુ કે મર્યાદાને ધ્યાને રાખીને નિર્દોષ હાસ્યનું સર્જન કરવું જોઇએ. જો મારામા હાસ્યવૃતી ના હોત તો મે આત્માહત્યા કરી હોત. સમસ્યા દરેકને હોય જ છે. દ્વારકાધીશ વિશે કહ્યું કે તેમને પણ જીવન પર્યંત દુ:ખ વેઠ્યા હતા. ગાંધીજી વિશે જણાવતા કહ્યું કે ગાંધીજીએ એક સંદેશો આપેલો છે કે ગંભીરતા વગરનું હાસ્ય નકામું છે. તેમને આઇન્સ્ટાઇનનાં ઉદાહરણ દ્વારા જણાવ્યું હતું કે જીવનનો કોઈ અર્થ નથી પણ તમે જીવનને અર્થપૂર્ણ બનાવી શકો છો. વ્યક્તિ જ્યારે એવું અનુભવે કે પોતે કાઇ જાણતો નથી ત્યારે જ્ઞાનનો ઉદભવ થાય છે, અજ્ઞાન ને ઓળખવું એ જ જ્ઞાન છે. ત્યારબાદ મોજ્હાર્દ, દેકાર્ત, ગાંધી, રજનીશ, પતંજલિ, બુદ્ધ, વગેરે તત્વજ્ઞાનીઓ, વૈજ્ઞાનિકોનાં ઉદાહરણો દ્વારા તેમને પોતાની આગવી શૈલી દ્વારા રજૂઆત કરી હતી. તેમનો મનોવિજ્ઞાન ભવન દ્વારા મિમેંટો આપી આભાર માનવામાં આવ્યો હતો અને સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ ઉદ્દઘાટન સમારોહની આભારવિધિ ડૉ. ડીમ્પલ રામાણી દ્વારા કરવામાં આવી હતી અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. ધારા દોશી દ્વારા કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ દીપક તેરૈયાનાં વ્યાખ્યાનનો આરંભ કરવામાં આવ્યો હતો તેમનો વિષય હતો આનંદ-ઉત્સાહ, ઉર્જા અને શાંતિ સાથે જીવનની ઉજવણી’. તેમાં તેમણે પોતાની આગવી શૈલી દ્વારા વિદ્યાર્થીઓને પોતાની સાથે કનેક્ટ રાખવાનો પ્રયાસ ફિલ્મી ગીતો સંભળાવીને કર્યો હતો. અને જણાવ્યું હતું કે દરેક વ્યક્તિને પોતના આનંદની શોધ કરવી જોઇએ. તુ તારો દીવો થા, તારૂ અજવાળું થા. આ જિંદગીનો મેળો છે, જીંદગી એટલે જલ્સો, જિંદગીએટલે એંજોય, અહી આપણે મનોવિજ્ઞાનની થીઅરીને એપ્લાય કરવાની છે. બુધ્ધ આપણને શીખવે છે કે આપણે જીવન આનંદ, ઉત્સાહ, શાંતીમા જીવવુ જોઇએ. હું અહી બીજા કોઈજ ઉદેશ્ય સાથે આવતો નથી મને અહી ઉત્સાહ અને શાંતિ મળે છે તેથી હું અહી આવું છું એમ જીવનમાં રૂપિયાનું બહુ મહત્વ હોતું નથી ખરું મહત્વ તેનું હોય છે કે તમને આનંદ અને ઉત્સાહ ક્યાથી મળે છે. બધાજ લોકો સુખની શોધમાં ફરે છે અને સુખ મેળવવા તે સારું કમાવવાનું વિચારે છે પણ એ રૂપિયા કમાવવા પાછળ એટલો ઘેલો બની જાય છે કે તે જીવનના સાચા સુખને ચુકી જાય છે. આ સાચા સુખને મેળવવા માટે વ્યક્તિએ તેવા વ્યવસાયને પસંદ કરવો જોઈએ કે જ્યાં તેને કામ કામનહિ પણ રમત લાગે. અને તો જ તે સાચા સુખ ને આનંદને માણી શકશે અને પોતાના જીવનને ઉજવણી કરીને જીવી શકશે.

વ્યાખ્યાન બાદ સૌ વિદ્યાર્થીઓ, અધ્યાપકો, મહેમાનો અને તજજ્ઞોએ સાથે સ્વરૂચિ ભોજન લીધું હતું.આ સમય દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા જે ચાર્ટ રજુ કરવામાં આવ્યા હતા તેમનું માર્કિંગ કરવામાં આવ્યું હતું અને તેમને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ૦૨:૩૦ કલાકે વ્યાખ્યાનમાળાની શરૂઆત કરવામાં આવી.

વ્યાખ્યાનમાળામાં સૌ પ્રથમ વ્યાખ્યાન લખનૌથી પધારેલ ડૉ. કુમુદશ્રી વાસ્તવનું યોજવામાં આવ્યું હતું. તેમના વ્યાખ્યાનનો વિષય હતો યુવાનોમાં વ્યસન’. તેમાં તેમને એક ચોકાવનારી હકીકત પ્રસ્તુત કરી હતી કે વિશ્વમાં દર ૪૦ સેકન્ડે એક આત્મહત્યા થાય છે અને તેની પાછળનું કારણ માનસિક અસ્વસ્થતા છે. માનસિક અસ્વસ્થતાનાં લક્ષણો જણાવતા તેમને કહ્યું હતું કે વ્યક્તિને ભૂખ ઓછી લાગવી, પૂરી ઊંઘ ન આવવી, ઉદાસીપણું લાગવું વગેરે. ત્યારબાદ તેમણે અમુક વિદ્યાર્થીઓને સ્ટેજ પર બોલાવી તેમને ટાસ્ક આપ્યું હતું તેમાં તેમને આપેલ કાર્યો કરવાનું કહેવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ તે મુજબનું કાર્ય કર્યું અને તેના આધારે શ્રી વાસ્તવે તેમનું વિશ્લેષણ કર્યું અને તેમની સમસ્યાઓ વિશે જાણકારી આપી અને તેનું સમાધાન કઈ રીતે લાવી શકાય તેના વિશે સમજાવ્યું હતું. બાળકો સમસ્યાઓ લઇને તમારી પાસે નહી આવે તમારે તેની સમ્સ્યાઓને ઓળખતા શીખવુ પડશે. અને પોતાનું વ્યાખ્યાન સમયસર પૂર્ણ કર્યું હતું. ભવન દ્વારા તેમનો આભાર માનવામાં આવ્યો અને તેમને ભવન વતી સ્મૃતિ ચિન્હ, પ્રમાણપત્ર અને શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

ત્યારબાદ ૦૩:૩૦ કલાકે સી,યુ.શાહ કોલેજ, અમદાવાદથી પધારેલ ડૉ. કરસન બી. ચોથાણી સાહેબનાં વ્યાખ્યાનનો આરંભ કરવામાં આવ્યો. તેમના વ્યાખ્યાનનો વિષય હતો વાતાવરણ અને વર્તન’. તેમાં તેમને જણાવ્યું કે દરેક વ્યક્તિની અંદર શક્તિ પડેલી છે તેને કેળવવાની જરૂર છે વાતાવરણ દ્વારા. જ્યારે આપણે આપણા વિશે જાણતા હોઇએ ત્યારે આપણે પરિસ્થિતીનુ સાચુ મુલ્યાંકન કરી શકી છીએ. જો લક્ષ્ય સુધી પહોચવુ હોય તો આપણે આપણી શક્તિઓને ઓળખવી પડશે. મનુષ્ય એક એવુ પ્રાણી છે જેને કોઇ પ્રોબ્લેમ્સ ના હોય, બધાજ પ્રશ્નોનું મુળ સમાયોજનમાં છે. જરૂરિયાતમાથી પ્રશ્નો ઉદભવે છે અને પ્રશ્નોમાથી સમસ્યા ઉદભવે છે, માણસ જરૂરિયાતોનુ પોટલું છે. જે વ્યક્તિ વાતાવરણ સાથે સુમેળ સાધી શકે તે સમાયોજન સાધી શકે છે. વાતાવરણ કોઈ વ્યક્તિને કઈ રીતે અસર કરે છે. વ્યક્તિ કઈ પણ વર્તન કરે છે તો તેની પાછળ મહદંશે વાતાવરણ જવાબદાર હોય છે નહિ કે વ્યક્તિ. કોઈ વ્યક્તિ આક્રમક થઈને વર્તન કરે છે તો તેની પાછળ ઘણા બધા ઘટકો જવાબદાર હોય છે, જેમકે પરિસ્થિતિ, પરિસ્થિતિ પહેલાની સ્થિતિ, પરિસ્થિત ઉપજાવનાર વાતાવરણ વગેરે ઘટકો જવાબદાર હોય છે, અને આ જવાબદાર ઘટકોને લીધે વ્યક્તિનું વર્તન થાય છે. અને આપણે માત્ર જે તે વ્યક્તિનેજ દોષ દઈએ છીએ જેના માટે તે જવાબદાર જ નથી. આમ વ્યક્તિના વર્તન પાછળ વાતાવારણ જવાબદાર હોય છે તે સમજાવી પોતાના વ્યાખ્યાનને પૂર્ણ કર્યું હતું. તેમના વ્યાખ્યાન માટે ભવન દ્વારા આભાર માની તેમને ભવન વતી સ્મૃતિ ચિન્હ, પ્રમાણપત્ર અર્પીત્ત કરી શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર વ્યાખ્યાનમાળાનું સંચાલન ડૉ. હસમુખ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું

ત્યારબાદ ભવનના વિદ્યાર્થીઓ દ્વારા ૦૪:૩૦ થી ૦૫:૦૦ વાગ્યા સુધી માનસિક સ્વાસ્થ્ય  પર નાટક કરવામાં આવ્યું. ત્યારબાદ ૦૫:૦૦ વાગ્યે મેળાનાં પ્રથમ દિવસનો સમાપન સમારોહ યોજવામાં આવ્યો.

આ પ્રથમ દિવસનાં સમાપન સમારોહમાં યુનિવર્સિટી કુલપતિશ્રી નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિશ્રી વિજયભાઈ દેશાણી, કચ્છ યુનિવર્સિટીનાં પૂર્વ કુલપતિશ્રી ડૉ. સી.બી. જાડેજાસિન્ડિકેટ સભ્યશ્રી ડૉ. નેહલભાઈ શુક્લા, ડૉ. ધરમ કામ્બલીયા સાહેબ અને ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણ તેમજ અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમાપન સમારોહમાં ચાલુ કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓ એ ચાર્ટ સ્પર્ધામાં પ્રથમ,દ્વિતીય કે તૃતીય નંબર મેળવ્યા છે તેમને સાથે સાથે પુરસ્કાર તરીકે મેડલ, પ્રમાણ પત્ર અને રોકડ રકમ પણ આપવામાં આવી હતી.

સમાપન સમારોહમા મુખ્ય અતીથી તરીકે પધારેલ કચ્છ યુનિવર્સિટીના પુર્વ કુલપતિ ડૉ. સી.બી. જાડેજા સાહેબી જણાવ્યુ હતુ કે આ મેળાના પ્રથમ દિવસે લગભગ બારસો માણસો જમ્યા હતા જે આ મેળાની સફળતા ને સુચવે છે. આ મેળાના પ્રથમ દિવસ માટે હું ભાઇ યોગેશ જોગસણને અભિનંદન પાઠવું છું.

મનોવિજ્ઞાન ભવન દ્વારા ડૉ.સી.બી. જાડેજા સાહેબની ભવન વતી મીમેંટો અર્પિત કરી તેમનો આભાર માનવામા આવ્યો અને સાલ દ્વારા તેમનું સન્માન કરવામા આવ્યું હતું.

ઉપકુલપતિશ્રી વિજયભાઈ દેશાણીએ જણાવ્યું હતું કે મનોવિજ્ઞાન ભવનને આ પ્રથમ દિવસની સફળતા માટે અભિનંદન. મનોવિજ્ઞાન મેળામા આટલુ માણસો જોઇને એવુ લાગે કે ખરે ખર અહી મનોવિજ્ઞાનનો પ્રભાવ છે કારણ કે આટલા માણસો અને વિદ્યાર્થીઓને જાળવી રાખવાનુ કાર્ય એક મનોવિજ્ઞાનિક જ કરી શકે છે

કુલપતિશ્રી નીતિનભાઈ પેથાણીએ જણાવ્યું હતું કે અમે તો મંજુરી આપી દઈએ છીએ. મંજુરી આપ્યા પછી મહત્વનું કામ આયોજનનું હોય છે અને તે આ આયોજન જોતા સિદ્ધ થાય છે કે ભવનના અધ્યક્ષ આ આયોજન કરવામાં સફળ રહ્યા છે. હું તેમને આ પ્રથમ દિવસની સફળતા માટે શુભેચ્છાઓ આપું છું.

પ્રથમ દિવસના સમાપન સમારોહની આભારવિધિ ડૉ. હસમુખ ચાવડા દ્વારા કરવામાં આવી હતી. અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. ડીમ્પલ રામાણી દ્વારા કરવામાં આવ્યું હતું.  

તારીખ ૨૮/૦૨/૨૦૨૦ ગુજરાતના પ્રથમ રાષ્ટ્રીય મનોવિજ્ઞાન મેળાનો બીજો દિવસ. આ દિવસે પણ  શરૂઆત ઉદ્દઘાટન દ્વારા કરવામાં આવી. આ દિવસે કાર્યક્રમના અધ્યક્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિશ્રી ડૉ. નીતિનભાઈ પેથાણી, કાર્યક્રમના સહઅધ્યક્ષ ડૉ. વિજયભાઈ દેશાણી, આમંત્રીત મહાનુભાવ તરીકે પધારેલ સિન્ડિકેટ સભ્યો ડૉ. નિદત્તભાઈ બારોટ, ડૉ. પ્રવીણસિંહ ચૌહાણ, ડૉ. ધરમ કાંબલીયા તેમજ મનોવિજ્ઞાન ભવનનાં અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત સૌ પ્રથમ કંકુ તીલક દ્વારા કરવામા આવ્યું. ત્યારબાદ ગુજરાતનો પ્રથમ મનોવિજ્ઞાન મેળોના ટેગ વાળું ખેસ પહેરાવવામાં આવ્યું, અને સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરવા માટે કહેવામા આવ્યું અને દીપપ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ બીજા દિવસના કાર્યક્રમની રૂપરેખા ભવનનાં અધ્યક્ષ દ્વારા રજુ કરવામાં આવી હતી. ત્યારબાદ ડૉ. ધરમ કાંબલીયા સાહેબે જણાવ્યું હતું કે આ મેળો એ માત્ર મનોવિજ્ઞાન ભવનનો જ નહિ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો છે એટલે હું સતત અહી ચક્કર મારતો હતો કે કઈ સમસ્યાઓ તો નથી ને. અને જો કોઈ સમસ્યાઓ હોય તો તેને દુર કરવામાં મારું કર્તવ્ય સમજતો હતો.

ડૉ. નિદત્તભાઈ બારોટે જણાવ્યું હતું કે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ સતત કાર્યરત રહી તેમના ભવનને પણ સતત કાર્યરત રાખે છે. આ મેળાના બીજા દિવસના ઉદ્દઘાટન સમારોહની આ જનમેદને જોઇને હું ભવનના અધ્યક્ષને અભિનંદન પાઠવું છું. અને તેઓ આમ જ કાર્યરત રહી અન્યને પણ હંમેશા પ્રેરણા પૂરી પડે.

ઉપકુલપતિશ્રી વિજયભાઈ દેશાણી સાહેબે જણાવ્યું કે અન્ય ભવનોએ આ ભવન પાસેથી દરેકને કઇ રીતે સાંકળી શકાય તે શીખવુ જોઇએ. આ ભવનનો દરેક પ્રોગ્રામ કાંઇક અનન્ય અને અજોડ હોય છે માટે મને આ ભવનના પ્રોગ્રામમાં આવવું વધુ પસંદ પડતુ હોય છે.

કુલપતિશ્રી નીતિન પેથાણી સાહેબે જણાવ્યું હતું કે આ મેળાની અસર સમગ્ર ગુજરાતમાં જ નહિ પણ સમગ્ર ભારતમાં થશે. આ મેળાનો ઉત્સાહ અહી આવનાર દરેક મહેમાનોનાં ચહેરા પર જોવા મળે છે વધારે ક ન કહેતા એટલું જરૂર કહી કે આ મેળો સફળતાની દિશા તરફ જઈ રહ્યો છે અને સફળતા માટે હું ભવનનાં અધ્યક્ષ અને તેમની ટીમને ધન્યવાદ આપું છું

આ કાર્યક્રમની આભારવિધિ ડૉ. હસમુખ ચાવડા દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર ઉદ્દઘાટન સમારોહનું સંચાલન ડૉ. ડીમ્પલ રામાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

ઉદ્દઘાટન સમારોહ બાદ વ્યાખ્યાનમાળાનાં દોરની શરૂઆત કરવામાં આવી. આ વ્યાખ્યાનમાળાની શરૂઆત ડૉ. કલ્પેશ ચંદ્રાણીનાં વ્યાખ્યાનથી કરવામાં આવી હતી. તેમના વ્યાખ્યાનનો વિષય હતો OCDની સમજ આ વ્યાખ્યાનમાં તેમણે OCDના લક્ષણો, પ્રકારો અને નિવારણ વિશે ખુબજ સહજતાથી વાત કરી હતી. તેમણે જણાવ્યું કે તેમા દર્દીને એક પ્રકારના વિચારોની બાધ્યતા રહે છે. તે ના છુટકે પણ તેનાથી બચી શકતો નથી. અને આ વિચારો સતત રહેવાથી તેનામા ચિંતા ઉદ્દભવે છે આ ચિંતાઓ તેનામા મનોભારને ઉત્પન્ન કરે છે ત્યારબાદ તેનુ વર્તન અનિવાર્ય બની જાય છે, તેને વારંવાર હાથ ધોવાના વિચારો, તાળું બંધ છે કે નહિ તેના સતત વિચારો અને વર્તન કરતો રહે છે અને કાર્ય પુર્ણ કર્યા પછી થોડો સમય રાહત રહે છે પરંતુ ત્યારબાદ પુન: તે આવુ વર્તન કરવા માંડે છે. અને પોતે પોતાના પર કોઇ જ નિયંત્રણ ધરાવતો નથી તેવુ સમજવા લાગે છે. ત્યારબાદ આ જ પ્રમાણે તરૂણોના સેક્સ પ્રત્યેના વિચારોમા પણ આવુ જ થાય છે તેને ત્યજ્વા માંગતો હોવા છતા તે ત્યજી શકતો નથી. સેક્સના સંદર્ભમા પણ તેમણે સહજતાથી સંપુર્ણ ચર્ચા કરી હતી. અને લોકોના પ્રશ્નોના સંતોસ કારક જવાબો પણ આપ્યા હતા. અને પોતાના વ્યાખ્યાનની પુર્ણાહુતિ કરી હતી. તેમનો ભવન દ્વારા મિમેંટો અને પ્રમાણપત્ર આપી આભાર માનવામા આવ્યો હતો અને સાલ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ ડૉ. રાજેશ પરમારના વ્યાખ્યાનની શરુઆત કરવામા આવી હતી. તેમના વ્યાખ્યાનનો વિષય સોશિયલ મિડિયાની અસર હતો. તેમા તેમણે જણાવ્યું હતું કે સોશિયલ મિડિયાની બે પ્રકારની અસર થાય છે વિધાયક અને નિષેધક. સોશિયલ મિડિયાની નિષેધક અસરો કુટુંબ અને સામાજિક સબંધો પર થાય છે. તેમા વ્યક્તિનો નાતો અન્ય વ્યક્તિઓ સાથે ટુટી જાય છે અને લાબા ગાળે વ્યક્તિ એકલો પડી જાય છે. તરુણોમા આજે જે ગેઇમિંગનુ પ્રમાણ વધ્યુ છે તે તેના સોસ્હિયલ રિલેશનને અસર કરે છે અને તે બાળકના વાસ્તવીક આનંદને છિનવી લે છે જે બાળક્નો યોગ્ય વિકાસ થવા દેતો નથી. તેમણે વિષેશમા જણાવ્યુ હતુ કે હુ એમ નથી કહેતો કે તમે સોશિયલ મિડિયાનો ઉપયોગ ના કરો પણ તેનો યોગ્ય ઉપયોગ કરો. સોશિયલ મિડિયાનો યોગ્ય ઉપયોગ તમ્ને ચોકસ સફળતા અપાવશે. ત્યારબાદ તેમણે પોતાના વ્યાખ્યાનની પુર્ણાહુતિ કરી હતી. તેમનો ભવન દ્વારા સ્મૃતિ ચિન્હ અને પ્રમાણપત્ર આપી આભાર માનવામા આવ્યો હતો અને સાલ દ્વારા તેમનુ સન્માન કરવામાં આવ્યું હતું.

૦૧:૧૫ થી ૦૨:૧૫ દરમ્યાન સૌ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો તેમજ બહારથી પધારેલ મહેમાનોએ સ્વરૂચિ ભોજન લઇ ફરીથી વ્યાખ્યાનમાળાના દોરની શરૂઆત કરવામા આવી.

ભોજન ગ્રહણ કર્યાબાદ કોમલ બક્ષીના વ્યાખ્યાનની શરૂઆત કરવામા આવી. તેમનો વિષય હતો પેરેંન્ટિગ. બહુ જ ઓછા સમયના આ વ્યખ્યાનમાં તેમણે વિદ્યાર્થિઓ અને અધ્યાપકો અને વાલીઓને ઘણુબધુ શિખવ્યું હતુ. અને વ્યાખ્યાન દરમ્યાન વિદ્યાર્થીઓ સાથે પોતાની કનેક્ટીવીટી રાખવા માટ બ્લ્યુટુથ તેકનીક (વિદ્યાર્થીઓ પોતાની સાથે તાળીઓ પાડે) દ્વારા બધાજ વિદ્યાર્થીઓને હળવા કર્યા હતા. ત્યારબાદ તેમણે પોતાના વ્યાખ્યાનને પુર્ણ કર્યુ હતું. તેમનો ભવન દ્વારા સ્મ્રુતિ ચિન્હ આપી અને સાલ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ ડૉ. પ્રતિક્ષા રાજાણીના વ્યાખ્યાનની શરુઆત કરવામા આવી હતી. તેમના વ્યાખ્યાનનો વિષય પરિક્ષા ભય અને યાદશક્તિ હતો. તેમણે પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે પરિક્ષાનો ભય વિદ્યાર્થીને સાહિત્ય સામગ્રીને યાદ રાખવામા અવરોધ ઉભો કરે છે. જેમ જેમ પરિક્ષા નજીક આવતી જાય તેમ તેમ આ ભયનું પ્રમાણ વધે છે જેમ જેમ ભયનું પ્રમાણ વધે છે તેમ તેને યાદ રાખવામા મુસ્કેલી અનુભવાય છે. આ મુશ્કેલી પાછળનુ કારણ પરીક્ષાનો અકારણ ભય હોય છે. વિદ્યાર્થિએ કે અન્ય વ્યક્તિ એ જો આ ભયમાથી મુક્ત રહેવુ હોય તો તેને અગાઉથી પરિક્ષાની તૈયારી કરવી જોઇએ. જો પરિક્ષાના દિવસે સ્ટ્રેસ અનુભવાય તો પોતાનુ ધ્યાન સ્વાચ્છો સ્વાસની ક્રિયા પર લગાવવું જોઇએ તો તમે સ્ટ્રેસ પર નિયંત્રણ લાવી શકો છો. તમે જેટલુ સ્ટ્રેસ ફ્રી વાતાવરણ વાંચન કરો છો તમે તેને તેટલુ વધારે યાદ રાખી શકો છો. અને પોતાના વ્યાખ્યાનની પુર્ણાહુતિ કરી હતી. તેમનો ભવન દ્વારા સ્મ્રુતિ ચિન્હ અને પ્રમાણપત્ર આપી આભાર માનવામા આવ્યો હતો અને સાલ દ્વારા તેમનુ સન્માન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ અનમોલ રાષ્ટ્રદીપના વ્યાખ્યાનની શરુઆત કરવામા આવી. તેમના વ્યાખ્યાનનો વિષય હતો ભણવાની સમસ્યા. તેમણે પોતાના વ્યાખ્યાનમા જણાવ્યું હતું કે વ્યક્તિનુ જે કાર્યમા ઇન્વોલમેંટ વધુ હોય છે તે તે કાર્ય વધુ સારી રીતે કરી શકે છે. તો તમને ભણવામા રસ ન હોય તો તમને યાદ રાખવામા મુશ્કેલીઓ પડશે. તેમણે મગજના ગોળાર્ધો વિશે વાત કરતા જણાવ્યું હતું કે મગજના બે ગોળાર્ધો હોય છે, જમણુ ગોળાર્ધ અને ડાબુ ગોળાર્ધ. જમણુ ગોળાર્ધ સર્જનાત્મક કાર્યોસાથે જોડાયેલ હોય છે જ્યારે ડાબુ ગોળાર્ધ તાર્કિક બાબતો સાથે સંકળાયેલ હોય છે. મગજનુ જે ગોળાર્ધ સક્રિય હસે તે વ્યક્તિ તેવા પ્રકારના કાર્યોને વધુ કરી શકશે. ત્યાર્બાદ તેમણે મેમરી વિશે જણાવતા કહ્યુ કે વ્યક્તિ પાસે ત્રણ પ્રકારની મેમરી હોય છે, શોર્ટમ મેમરી, લોંગ ટર્મ મેમરી અને સેમાંટિક મેમરી. આ મેમરી તમારુ કોઇપણ કાર્યમા કેટલુ ઇંવોલ્વમેંટ છે તેના આધારે કોઇપણ સંદેશો સંગ્રહ થાય છે. વ્યાખ્યાન પુર્ણ કરતા તેમણે ભવનનો આભાર માન્યો હતો. તેમનો ભવન દ્વારા મિમેંટો અને પ્રમાણપત્ર આપી આભાર માનવામા આવ્યો હતો અને સાલ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.   

ત્યારબાદ ડૉ. મેઘના જોષીના વ્યાખ્યાનની શરૂઆત કરવામા આવી હતી. તેમના વ્યાખ્યાનનો વિષય હતો ટીન એજ તેરે માસુમ સવાલો પે પરેશાન હું આ વ્યાખ્યાન તેમણે પરફોર્મંસ દ્વારા પોતાની આગવી શૈલી દ્વારા રજુ કર્યુ હતું. તેમા તેમણે જણાવ્યું હતું કે આપણે આપણા બાળકોને સમજવામા કાઇક ભુલ કરી રહ્યા છીએ. આ ભુલનૂ પરીણામ એ આવે છે કે આપણે આપણા બાળકને સમજી શક્તા નથી અને તેના માસુમ સવાલો પર આપણે ગુસ્સે થઇએ છીએ આ ગુસ્સો તેને આપણી સમક્ષ બીજી કોઇ મુશ્કેલીઓ કે પરેશાનીઓને વ્યક્ત કરવામા અવરોધ ઉભો કરે છે. આ અવરોધ તેને માટે ભવિષ્યમા સમસ્યાઓ સર્જે છે અને તે પોતે આ સમસ્યાઓમા અટવાયેલ રહે છે. અને તેને પોતાનુ જીવન બોજરૂપ લાગે છે. આવી સમસ્યાઓમાં બાળકો વડીલ વ્યક્તિને કહેવામાં કેવી મુંજવણો અનુભવે છે તે અભિવ્યક્તિ દ્વારા તેમને સમજાવ્યું હતું. આ વ્યાખ્યાન બધા જ વિદ્યાર્થીઓ અને મહેમાનો માટે રોચક રહ્યું હતું. તેમણે પોતાના વ્યાખ્યાનની પુર્ણાહુતિ કરી હતી. તેમનો ભવન દ્વારા સ્મૃતિ ચિન્હ  અને પ્રમાણપત્ર આપી આભાર માનવામા આવ્યો હતો અને સાલ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ ૦૪:૧૫ થી ૦૫:૦૦ કલાક દરમ્યાન જિનિયસ સ્કુલ દ્વારા મરાઠી ગીત પર ડાંસ અને ભવનના વિદ્યાર્થીઓ દ્વારા બચાવપ્રયુક્તિ પર નાટકો કરવામાં આવ્યાં હતાં.

૦૫:૦૦ કલાકે ગુજરાતના પ્રથમ રાષ્ટ્રીય મનોવિજ્ઞાન મેળાના બીજા દિવસના સમાપન કાર્યક્રમની શરૂઆત કરવામા આવી. આ સમાપાન સમારોહમા યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ નિતિનભાઇ પેથાણી, ઉપકુલપતિશ્રી ડૉ. વિજયભાઇ દેશાણી, સિન્ડિકેટ મેમ્બર ડૉ. ગીરીશ ભિમાણી, ડૉ. ધરમભાઇ કાંબલિયા, મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણ, લખનૌથી પધારેલ ડૉ.કુમુદ શ્રીવાસ્તવ  તેમજ ડૉ. નવિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સમાપન સમારોહમા જે વિદ્યાર્થીઓ ચાર્ટ સ્પર્ધામા પ્રથમ, દ્વિતિય અને તૃતીયવ્યાં હતા તેમને મેડલ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામા આવ્યો હતો તેમજ અન્ય ભવનના વિદ્યાર્થીઓ કે જેમને શિક્ષણ સિવાય અન્ય ક્ષેત્રમા કોઇ સિધ્ધિ હાસલ કરી હોય તો તેમને પણ પ્રમાણપત્રો કાર્યક્રમ દરમ્યાન વચ્ચે વચ્ચે આપવામા આવ્યા હતા.

આ સમાપન સમારોહમા ડૉ. ગીરીશ ભીમાણી સાહેબે જણાવ્યું કે મનોવિજ્ઞાન મેળો એટલે મનનો મેળો. આપણે એકબીજાને કઇ રીતે જાણી શકી તેનો મેળો, આવો મેળો આજસુધી ક્યાય જોયો નથી, માટે આ મેળામા સમાવિષ્ટ થવાનું મન થાય. આ મેળામા આવેલ મહેમાનોને જોઇને અમને પણ કાઇક નવી પ્રેરણા અહીથી મળી છે. આ મેળાના બીજાદિવસે પણ આટલુ માણસો છે તે જ આ મેળાની સફળતા દર્શાવે છે.

ઉપકુલપતિશ્રી વિજયભાઇ દેશાણીએ જણાવ્યું કે આ મેળાના સમાપન સમારોહમા પણ આટલા માણસો છે તે જોઇને આનંદ થાય છે. આ મેળાની સફળતાની શુભકામનાઓ હું અત્યારેજ જોગસણ સાહેબને આપું છું. અને આવાજ ભવિષ્યમા પણ કાર્યો કરતા રહે તેની શુભેચ્છાઓ આપુ છું.

કુલપતિશ્રી નિતિન પેથાણી સાહેબે જણાવ્યુ કે આ મેળામા હૂ ચોથીવાર બોલવા ઉભો થયો છું. આ મેળાના પ્રથમ દિવસે લગભગ ૯૫ સંસ્થાઓએ ભાગ લીધો હતો અને આ બીજા દિવસે પણ ૯૬ જેટલી સંસ્થાઓએ ભાગ લીધો છે જે આ મેળાની સફળતા સુચવે છે. આ સફળતા માટે હુ ભવનના અધ્યક્ષને અભિનંદન પાઠવું છું. અભિનંદનના હકદાર છે કારણ કે આટલુ મોટુ કાર્ય કરવુ એ સહેલુ નથી. હું જાણુ છુ કે આ કાર્યને સફળ બનાવવા માટે તેમને તનતોળ મહેનત કરી હશે. આ મેળા માટે કોઇને જે કહેવુ હોય તે કહે પણ હું તેમના આ કાર્યને બિરદાવું છું.

આ મેળામાં વિવિધ ભવનના લગભગ ૧૫૬ વિદ્યાર્થીઓ કે જેમને અન્ય કોઈ ક્ષેત્રમાં સિધ્ધિ પ્રાપ્ત કરેલ છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ મેળા મદદરૂપ થનારા વિવિધ ભવનના અધ્યાપકો HRDCના ડાયરેક્ટર ડૉ. કલાધર આર્ય, ગુજરાતી ભવનના અધ્યાપક ડૉ. જે.એમ. ચંદ્રવાડીયા, નેનો સાયન્સ ભવનના અધ્યાપક ડૉ. ભરત કટારીયા, સમાજશાસ્ત્ર ભવનના અધ્યાપક ડૉ. ભરત ખેર, ફિઝિક્સ ભવનના અધ્યાપક ડૉ. નિકેશ શાહ, સિન્ડિકેટ સભ્યશ્રી ડૉ. ધરમ કાંબલીયા, મહિલા કોલેજના અધ્યાપક ડૉ. ઇરોસ વાઝા ને ભવન દ્વારા વિશિષ્ટ રીતે સન્માન કરવામાં આવ્યું હતું.

આ સમાપન સમારોહની આભારવિધિ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ યોગેશ જોગસણ દ્વારા કરવામાં આવી હતી. તેમા તેમની જણાવ્યું હતું કે આ મેળા માટે હુ કુલપતિ સાહેબ અને ઉપકુલપતિ સાહેબનો હુ ખરેખર રૂણી છું તેમનુ માર્ગદર્શન અને સહકાર મને હમેશા મળતો રહે છે તેથી હુ તેમનો ખુબ ખુબ આભાર માનું છું. બીજુ આ કાર્ય કદાચ મારા મિત્રોનો સાથ સહકાર ન હોત તો આ કાર્ય હું કરી ન શક્ત. મારા મિત્રો સતત અહી દેખરેખ રાખતા હતા અને મને પ્રેરણા પુરી પાડતા હતા તેમનો હ્રદયથી આભાર માનું છું. આ કાર્યને સફળ કરવા માટે હુ મારા સ્ટાફનો પણ ખુબ આભાર માનુ છુ કે તેઓ હમેશ મારા કોઇપણ વિચાર સાથે સહમત થઇને કાર્ય કરે છે આ કાર્ય જો કોઇ અનુભવી શિક્ષકો હોત તો હુ ના કરી શકેત માતે તેમનો ખુબ ખુબ આભાર. આ સમગ્ર કાર્યક્રમ જો કોઇના દ્વારા શક્ય બન્યો હોય તો તે છે અમારા ભવનની આ દિકરીઓ. જે દિકરીઓ નથી પણ ખરેખર સિહણો છે. તેમજ અમારા ભવનના આમંત્રણને માન આપી પધારેલ દરેક અધ્યાપકો અને વિદ્યાર્થિઓનો આભાર માનુ છું

આ સમગ્ર સમાપન સમારોહનુ સંચાલન ડૉ. ધારા દોશી દ્વારા કરવામાં આવ્યું હતું. 

 

    

           

 

 


Published by: Department of Psychology

28-02-2020